મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 30, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રીન જામનગરનો દાવો પોકળ?!

     કોર્પોરેશન ગ્રીન જામનગરનો દાવો ૨-૩ વર્ષથી કરે છે. ૩ વર્ષમાં શહેરમાં માત્ર ૩૩૮૯ ટ્રી ગાર્ડ મૂકાયા છે. તેની પાછળ રૂપિયા ૩૦ લાખનો ખર્ચ થયો છે. તેની જાળવણીમાં બેદરકારી દાખવામાં આવતી હોય છે. વચ્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થતાં રહે છે. દર વર્ષે ૨૫૦૦ રોપાઓનું વિતરણ થાય છે. પરંતુ વાવેતર બાદ તેની રખેવાળી કરવાની, માવજત કરવાની જવાબદારી કોની? તે પણ પ્રશ્ન છે. દર વર્ષે મેયર સહિતના પદાધિકારીઓને વ્યકિતગત ૩૫ તથા નગરસેવકોને ૧૦ ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રી-ગાર્ડનો ભાવ રૂપિયા ૯૦૦-૨૫ હોય છે. વર્ષે ૧૦૦૦ આસપાસ ટ્રી ગાર્ડની ફાળવણી થાય છે. વર્ષ ૨૦૨૦ માં રોપાઓનું વિતરણ કોરોનાના કારણે કરવામાં આવતું નથી.

ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપર ટેકસચોરીનો આરોપ

     ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બાયજયંત પાંડા, તેમના પત્ની જાગી માંગટ પાંડા ટેકસચોરી કરી રહ્યાનો આક્ષેપ છે. આ દપંતિ સાથે મંજૂલાદેવી ટ્રસ્ટની સાંઠગાંઠનો આક્ષેપ છે. આ ટ્રસ્ટના માલિક મંજુલા પૂજા શ્રોફ છે. તેણી ૨૪ કંપનીઓમાં ડીરેકટર છે. અગાઉ તેણી ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોયઝ લિમીટેડમાં પાંડાના આસિસ્ટન્ટ હતાં. ૧૯૯૩ થી ૨૦૦૩ વચ્ચેનું વિદેશો સાથેનું ટેકસચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે પાંડા દંપતિ વિરૂધ્ધ તપાસનો આદેશ આપ્યા પછી પણ તપાસમાં 'ઝડપ" આવી નથી.

શિક્ષણજગત ફરી કલંકિત

     જામનગર જિલ્લાના શિક્ષણજગતને વધુ એક વખત લાંછન લાગ્યું છે. ૫૬ વર્ષના એક આચાર્યની ધરપકડ થઇ છે. તેણે ૧૦ વર્ષની બાળાને અડપલાં કર્યાનો આક્ષેપ છે.      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાંચ દેવડાની પ્રાથમિક શાળાની ૧૦ વર્ષની માસૂમ બાળાને સારાં માર્કસની લાલચ આપી શાળાના આચાર્ય બાબુ નાથભાઇ સંઘાણીએ આ બાળા સાથે શારીરિક અડપલાં કર્યા છે. એવી ફરિયાદ બાળાના પિતાએ પોલીસમાં નોંધાવતાં, પોકસો એકટ સહિતની કલમો હેઠળ આચાર્યની ધરપકડ થઇ છે.      આ ચકચારી બનાવ ગત્ સોમવારના દિને બન્યો હોવાનું કહેવાય છે. આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા પછી તેની ધરપકડ કરી, જેલ હવાલે મોકલવા કાર્યવાહી ચાલુ છે.

સંક્ષિપ્ત સમાચાર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતમાં ભાજપાના ભિષ્મ પિતામહ કેશુભાઇ પટેલનું ટૂંકી બિમારી પછી અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગઇકાલે ગુરૂવારે બપોરે બાર વાગ્યા આસપાસ નિધન થયા પછી, સાંજે તેઓની સ્મશાનયાત્રા યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તેઓના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતાં. કાશ્મીરમાં હવે આંતકીઓનું નિશાન નેતાઓ. ભાજપાના યુવા મોરચાના મહાસચિવ ઉપરાંત અન્ય બે નેતાઓને આતંકીઓએ મારી નાંખ્યા છે. ત્રણેય નેતા સ્થાનિક કાશ્મીરી મુસ્લીમો હતાં. અગાઉ ૭ ઓકટોબરે ભાજપના નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો થયો હતો. તેઓ બચ ગયેલાં પરંતુ પીએસઓ અલ્તાફ હુશેનનું મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરમાં બુધવારે રાત્રે સમર્પણ સર્કલ તથા ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી: મોટાં ઓપરેશનના ભાગરૂપે ચેકીંગ છે એવી વાત અફવા પૂરવાર થઇ કારણે કે પોલીસે આ ચેકીંગને રૂટિન લેખાવ્યું છે. જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર, બેડી તથા સમર્પણ, પંપહાઉસ નજીકના વિસ્તારોમાં દોડાવવા પડે છે પાણીના ટેન્કર: રૂપિયા ૧૧.૪૦ લાખનો ખર્ચ મંજૂર. કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં પૂનમ વલ્લભભાઇ જરમરિયા નામની ૨૦ વર્ષ...