કોર્પોરેશન ગ્રીન જામનગરનો દાવો ૨-૩ વર્ષથી કરે છે. ૩ વર્ષમાં શહેરમાં માત્ર ૩૩૮૯ ટ્રી ગાર્ડ મૂકાયા છે. તેની પાછળ રૂપિયા ૩૦ લાખનો ખર્ચ થયો છે. તેની જાળવણીમાં બેદરકારી દાખવામાં આવતી હોય છે. વચ્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થતાં રહે છે. દર વર્ષે ૨૫૦૦ રોપાઓનું વિતરણ થાય છે. પરંતુ વાવેતર બાદ તેની રખેવાળી કરવાની, માવજત કરવાની જવાબદારી કોની? તે પણ પ્રશ્ન છે. દર વર્ષે મેયર સહિતના પદાધિકારીઓને વ્યકિતગત ૩૫ તથા નગરસેવકોને ૧૦ ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રી-ગાર્ડનો ભાવ રૂપિયા ૯૦૦-૨૫ હોય છે. વર્ષે ૧૦૦૦ આસપાસ ટ્રી ગાર્ડની ફાળવણી થાય છે. વર્ષ ૨૦૨૦ માં રોપાઓનું વિતરણ કોરોનાના કારણે કરવામાં આવતું નથી.