મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતમાં ભાજપાના ભિષ્મ પિતામહ કેશુભાઇ પટેલનું ટૂંકી બિમારી પછી અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગઇકાલે ગુરૂવારે બપોરે બાર વાગ્યા આસપાસ નિધન થયા પછી, સાંજે તેઓની સ્મશાનયાત્રા યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તેઓના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતાં.
  • કાશ્મીરમાં હવે આંતકીઓનું નિશાન નેતાઓ. ભાજપાના યુવા મોરચાના મહાસચિવ ઉપરાંત અન્ય બે નેતાઓને આતંકીઓએ મારી નાંખ્યા છે. ત્રણેય નેતા સ્થાનિક કાશ્મીરી મુસ્લીમો હતાં. અગાઉ ૭ ઓકટોબરે ભાજપના નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો થયો હતો. તેઓ બચ ગયેલાં પરંતુ પીએસઓ અલ્તાફ હુશેનનું મૃત્યુ નિપજ્યું હતું.
  • જામનગર શહેરમાં બુધવારે રાત્રે સમર્પણ સર્કલ તથા ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી: મોટાં ઓપરેશનના ભાગરૂપે ચેકીંગ છે એવી વાત અફવા પૂરવાર થઇ કારણે કે પોલીસે આ ચેકીંગને રૂટિન લેખાવ્યું છે.
  • જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર, બેડી તથા સમર્પણ, પંપહાઉસ નજીકના વિસ્તારોમાં દોડાવવા પડે છે પાણીના ટેન્કર: રૂપિયા ૧૧.૪૦ લાખનો ખર્ચ મંજૂર.
  • કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં પૂનમ વલ્લભભાઇ જરમરિયા નામની ૨૦ વર્ષની યુવતીએ ઝેર પી લેતાં મૃત્યુ થયું. તેણીને બહેન શિલ્પા સાથે બોલાચાલી થયેલી, બાદમાં આ બનાવ બન્યો છે. એવું મૃતકના ભાઇએ પોલીસમાં જાહેર કર્યું  છે.
  • સાધના કોલોની, પટેલ પાર્ક, નંદનવન પાર્ક, યુવા પાર્ક, ગ્રિન સિટી, વ્રજવાટિકા તથા આશિર્વાદ દીપ-૩ અને ૪ માં તથા સરદાર પાર્ક, વૃંદાવન પાર્કમાં આવતીકાલે શનિવારે પાણી નહીં મળે. 
  • હર્ષદમિલની ચાલી, નિલકંઠનગર, રિધ્ધિ સિધ્ધી સોસાયટી, બાઇની વાડી, નાનકપુરી તથા ચૂનાનો ભઠ્ઠો વિસ્તારમાં આજે (શુક્રવારે) પાણી વિતરણ બંધ રહ્યું હતું.
  • જામનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાંબા સમય બાદ શહેરમાં મિઠાઇની દુકાનોમાં ચેકીંગ કર્યું. ડેઝિગ્નેટેડ અધિકારી એલ.ડી. ફળદુની આગેવાનીમાં ચેકીંગ થયું. સૌ જાણે જ છે કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાને "વાર્ષિક" ધોરણે મિઠાઇ સહિતના વેપારીઓ મીઠું મોઢું કરાવતા હોય છે. રૂટિન ચેકીગ થતાં રહે છે.
  • ક્રિકેટના "સર" રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં ચેન્નાઇની આબરૂં બચાવી છે. છેલ્લા ૩ બોલમાં ૨ છગ્ગા ફટકાર્યા. ૪૯ મા મેચમાં આ રીતે ચેન્નાઇએ કોલકતાને ૬ વિકેટે પરાજય આપ્યો. 
  • સીએ માંથી બિલ્ડર બનેલાં અમદાવાદના મનિષ શાહ (ટ્ર-વેલ્યૂ કોર્પોરેટ કંપની)ને ત્યાં ઇડીના દરોડા: કંપનીના અન્ય ડાયરેકટરોના નામો તારાચંદ મનશાની, મિતેષ સુમન શાહ તથા લક્ષ્મણ ગજજર છે. 
  • કોરોના કાળમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની આરએમઓ તથા ૧ ડોકટર બિલ પાસ કરાવવામાં રૂપિયા ૮ લાખની લાંચ લેતાં ઝડપાયા: કોરોના દર્દી, ડોકટર, સ્ટાફના જમવા વગેરેના બિલ (રૂપિયા ૧ કરોડ)નો મામલો. લાંચની રકમ ૮ ટકા. 
  • ગ્રીસ-તુર્કીમાં ૭ ની તીવ્રતાનો ભૂંકપ: ૧૮ લોકોના મોત: ભૂંકપમાં લગભગ ૫૫૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...