"હર ઘર તિરંગા' ઘર ઘરતિરંગા'' ની જાહેર અપીલના પગલે સિંધી સમાજ દ્વારા તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રવિવારે બપોરે ૪ : ૦૦ વાગ્યે શ્રી ઝુલેલાલ મંદિર, સાધના કોલોનીથી નાનકપુરી, પવનચક્કી, પોલીસચોકી, ખંભાલીયાગેટ, હવાઈ ચોક, સેતાવાડ, બર્ધનચોક, દરબારગઢ, ચાંદીબજાર, રણજીતરોડ જેવા જાહેર માર્ગેથી પસાર થઇ તીનબતી શ્રી ઝુલેલાલ મંદિરે પુર્ણ થાય તે રીતેની 'બાઈક રેલી' નુ આયોજન કરવામા આવ્યું હતું. આ બાઈક રેલીનો પ્રારંભ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરાવ્યો હતો.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો