જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામે એક કાર્યક્રમમાં ડેકોરેશન દરમિયાન જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા યુવકને વીજ શોક લાગતા તેનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ મૃતક ના પરિવાર, સગા સંબંધી મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતાં. મૃતક યુવાનનું નામ સલીમશા મહમદશા શામમદાર (ઉ.વ.૩૩) હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો