જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામે એક કાર્યક્રમમાં ડેકોરેશન દરમિયાન જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા યુવકને વીજ શોક લાગતા તેનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ મૃતક ના પરિવાર, સગા સંબંધી મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતાં. મૃતક યુવાનનું નામ સલીમશા મહમદશા શામમદાર (ઉ.વ.૩૩) હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો