ઉતરપ્રદેશના હાથરસકાંડના વિરોધમાં તથા કચ્છમાં અનુસુચિત જાતિના વકીલના હત્યારાઓને ઝડપી લેવાની માંગણી સાથે, જામનગરમાં ગઇકાલે મંગળવારે અનુસૂચિત જાતિના સેંકડો લોકોએ આંદોલન કયું<. લાલબંગલા સર્કલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલો.
આ બંને ઘટનાઓના વિરોધમાં મંગળવારે મહાનગરપાલિકાના ૨૫૦૦ સફાઇ કામદારોએ એક દિવસની હડતાળ રાખેલી. આગામી સમયમાં દેશભરમાં સફાઇ કામદારોની હડતાળ માટે એલાન થયું છે.
હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજા નહીં આપવામાં આવે તો ગુજરાતમાં "ભડકો" થશે એવી ચેતવણી પણ અનુસૂચિત સમાજે આપી છે.
શ્રધ્ધાંજલિના આ કાર્યક્રમમાં અગ્રણીઓ અમિત પરમાર, હરિશ ચૌહાણ, મહેશ બાંબરિયા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો