રાજ્યનાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓએ વધુ એક વખત ગુજરાત સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે, ૪૨૦૦ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓનાં અનુસંધાને રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ લેવામાં ન આવતાં ૨૩ ઓગસ્ટે પાટનગર ખાતે મોરચા અને મહામંડળની બેઠકમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર નાં દિવસે કર્મચારીઓ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ રેલી અને આવેદનપત્ર નો કાર્યક્રમ આપશે. ૧૧ મીએ ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર, ૧૭મીએ રાજ્યભરમાં કર્મચારીઓની સામૂહિક રજા, ૨૨મીએ રાજ્યભરમાં તમામ કેડરના કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરશે. અને, ૩૦મી સપ્ટેમ્બરથી રાજ્યમાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.
સંઘનાં રાજય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ અગાઉ જામનગર તથા રાજકોટનો ૪૨૦૦ ગ્રેડ પે નો પ્રશ્ન ઉકલી ગયો છે પરંતુ આ આંદોલન સમગ્ર રાજય માટે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો