મુખ્ય સામગ્રી પર જાઓ

ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરતાં રાજ્યભરના કર્મચારીઓ

 

    રાજ્યનાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓએ વધુ એક વખત ગુજરાત સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે, ૪૨૦૦ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓનાં અનુસંધાને રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ લેવામાં ન આવતાં ૨૩ ઓગસ્ટે પાટનગર ખાતે મોરચા અને મહામંડળની બેઠકમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
    આ જાહેરાત મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર નાં દિવસે કર્મચારીઓ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ રેલી અને આવેદનપત્ર નો કાર્યક્રમ આપશે. ૧૧ મીએ ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર, ૧૭મીએ રાજ્યભરમાં કર્મચારીઓની સામૂહિક રજા, ૨૨મીએ રાજ્યભરમાં તમામ કેડરના કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરશે. અને, ૩૦મી સપ્ટેમ્બરથી રાજ્યમાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.
    સંઘનાં રાજય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ અગાઉ જામનગર તથા રાજકોટનો ૪૨૦૦ ગ્રેડ પે નો પ્રશ્ન ઉકલી ગયો છે પરંતુ આ આંદોલન સમગ્ર રાજય માટે છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...