મુખ્ય સામગ્રી પર જાઓ

આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવી


    જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  તા. 21 અને તા. 22 ના રોજ આંતર શાળા રાસ ગરબા હરીફાઈ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.

    આ રાસ ગરબા સ્પર્ધામાં કુલ 2  વિભાગમાં સમિતિ સંચાલિત 44 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-1 માં 21 શાળાઓએ ભાગ લીધો હતો , જેમાં કુલ 8 કુમાર ની કૃતિ અને 12 કન્યાઓ ની કૃતિ અને એક મિશ્ર કુમાર - કન્યા સહિત  કુલ 292 બાળકોએ પરંપરાગત પોશાક પહેરી કૃતિ રજૂ કરી હતી. તારીખ 22 ના રોજ વિભાગ 2 માં આંતરશાળા સ્પર્ધામાં કુલ 20 કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં 7 કુમાર કૃતિ 13 કન્યાઓએ  પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ કૃતિઓ રજૂ કરી હતી અને કુલ 274 બાળકોએ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.

    વિભાગ-1 માં શાળા નંબર 44/ 51/ 40/ 60 27 /10 કુલ છ શાળા ની કૃતિ નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિભાગ -૨ માં શાળા નંબર 20 /29/ 18/ 11/ 12 /31 કુલ 6 શાળાનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ તમામ 12 કૃતિઓ  તારીખ 25  ને રવિવારના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:00 વાગ્યે શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આંતરશાળા રાસ ગરબા હરીફાઈ ના છેલ્લા તબક્કામાં પોતાની કૃતિઓ રજૂ કરશે.

    આ કાર્યક્રમમાં મેયર  બીનાબેન કોઠારી , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા  કુસુમબેન, પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી  મધુબેન ભટ્ટ સહિતના શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે  સમિતિના અધ્યક્ષ  મનીષ કનખરા ,ઉપાધ્યક્ષ  પ્રજ્ઞાબા સોઢા, શાસન અધિકારી  ફાલ્ગુની પટેલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...