પૂર્વ ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજાની પાંચમી વાર્ષિક તિથિ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દતાત્રેય ઉપનગર, ભારત વિકાસ પરિષદ તથા ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે સનસાઇન સ્કૂલ ખાતે ૧૩ મી એ રકતદાન શિબિર યોજવામાં આવેલી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતાબેન જોષીએ દિપપ્રાગટય કરેલું. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભટ્ટી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્ર રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરત ફલિયા તથા સહભાગી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતાં. ૧૦ મહિલાઓ સહિત કુલ ૬૦ વ્યકિતઓએ આ શિબિરમાં રકતદાન કર્યુ.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો