પૂર્વ ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજાની પાંચમી વાર્ષિક તિથિ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દતાત્રેય ઉપનગર, ભારત વિકાસ પરિષદ તથા ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે સનસાઇન સ્કૂલ ખાતે ૧૩ મી એ રકતદાન શિબિર યોજવામાં આવેલી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતાબેન જોષીએ દિપપ્રાગટય કરેલું. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભટ્ટી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્ર રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરત ફલિયા તથા સહભાગી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતાં. ૧૦ મહિલાઓ સહિત કુલ ૬૦ વ્યકિતઓએ આ શિબિરમાં રકતદાન કર્યુ.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો