જામનગર તાલુકાના ખેડૂત સ્વ. કિશોરભાઇ પિતાંબરભાઇ ભેંસ દડીયા (મોટી બાણુંગાર), સ્વ. શામજીભાઇ કરશનભાઇ કણઝારિયા (ચેલા) તથા સ્વ. ખિમજીભાઇ પોપટભાઇ પ્રાગડા (ઢંઢા)ના અકસ્માતે અવસાન બાદ જામનગર માર્કેટ યાર્ડના નિયમો મુજબ વીમાની રકમના રૂપિયા ૫-૫ લાખ ચૂકવવામાં આવ્યા છે.
મોટીબાણુંગારના કેસમાં ચેક તથા ચેલા અને ઢંઢાના કેસોમાં આરટીજીએસ થી રકમો આપવામાં આવી છે.
આ તકે યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ, વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા, ડીરેકટર પ્રવિણસિંહ ઝાલા તથા અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો