જામનગર જિલ્લામાં ભારે વરસાદમાં નુકસાની પેટે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતગર્ત રૂ. ૧૭ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ડીડીઓના માર્ગદર્શન મુજબ, જિલ્લા પંચાયત દ્વારા કુલ ૧૧૦૦૦ ખેડૂતોને આ રકમ બેંક ખાતાં મારફત માત્ર એક જ દિવસમાં ચૂકવવામાં આવી છે. કુલ ૯૩૮૭૫ ખેડૂતોને વીસી મારફત અરજી કરી હતી. હજૂ ૩૦ ઓકટોબર સુધી અરજી થઇ શકશે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો