મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર



  • જામનગર કોરોના: રવિવારે જામનગર શહેરમાં કોરોના ના નવા ૬૩ કેસ, ૪૧ ને ડીસ્ચાર્જ: ગ્રામ્ય વિસ્તારમાં નવા ૨૯ કેસ, ડીસ્ચાર્જ ૩૯
  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયાંસીસિંહ ભાજપામાં જોડાઇ ગઇ
  • સુરતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર: ૫૦૦ થી વધુ કેરિયર એકટીવ: આ ધંધામાં કેટલાંય કરોડપતિ બન્યા: સલાબતપુરા મુખ્ય મથક
  • ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવારો નકકી કરવા આજે ભાજપાની બેઠક
  • કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આજે ગાંધીનગરમાં કૃષિ બિલો અંગે પત્રકાર પરિષદને સંબોધી
  • ૨૦૦ લોકો સાથે ગરબાઓ યોજી શકાશે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન
  • સુશાંતનું મોત કલીયર ગળાફાંસો: હત્યાનો કોઇ જ પુરાવો નથી: એઇમ્સના પોસ્ટમોર્ટમ પેનલિસ્ટએ કહ્યું, ચેપ્ટર બંધ
  • લોકડાઉનબાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું: મોટા શહેરોમાં ઓફિસ લીઝ પર આપવાનું પ્રમાણ ૫૦ ઘટયું.




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...