જામનગર એલસીબીએ પ્રદીપ (પદીયો) જેન્તિભાઇ ખત્રી (રણજિતનગર)નામના શખ્સને તેના ઘરમાંથી ઝડપી લીધો છે. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી, ગોજિયાની ટીમના હરદીપ ધાંધલ, પ્રતાપ ખાચર, જયુભાઇ ઝાલા, સંજયસિંહ, અશ્વિનભાઇ વગેરેએ આ શખ્સને શોધી કાઢયો છે.
આ શખ્સ વિરૂધ્ધ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. તે એક વર્ષથી નાસતો ફરતો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો