જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કમિશનરની સૂચના તથા કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન પ્રમાણે રણજિતસાગર રોડ પરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ૪ વિશાળ દુકાનોનું ડીમોલીશન કયું< છે. આ દુકાનો ૧૬૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં ખડકવામાં આવેલી. દુકાનોના નિર્માણ માટે કોર્પોરેશનમાંથી કોઇ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના, પાકાં પથ્થરોથી આ બાંધકામ કરવામાં આવેલું. આ કાર્યવાહીમાં એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતાં.
જામનગરમાં એસ્ટેટ શાખા સક્રિય દેખાઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં જલારામનગર (ગુરૂદ્વારા-સાત રસ્તા રોડ) સહિતના ગેરકાયદે બાંધકામો (કોર્ટમાં જીત્યા પછી પણ) હટશે કે કેમ? તે મુદે્ લોકોમાં ચર્ચા છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો