જામનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વધુ એક વખત સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવવાની માંગ, ટેકાના ભાવે કપાસની ખરીદી કરવી, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભોજના પ્રમાણ અંગે સૂચનો, ગામડાંઓમાં રખડતાં પશુઓ માટે વ્યવસ્થા કરવી, ખેતર-મકાનો માટે ખેડૂતો માટી-રેતી મેળવી શકે તે માટેની વ્યવસ્થા-ડિજિટલ યુવા છતાં ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ગૌશાળાના ડીમોલીશનના બદલે કાયમી ભાડાકરાર કરી આપેવો, ગૌશાળાની ગાયો તથા ખેતીમાં જોડાતા બળદો માટે નિભાવ ખર્ચ, પાંજરાપોળની સહાય યોજનામાં જમીન મર્યાદા હટાવવી વગેરે મુદ્ાઓ અંગે પ્રમુખ રજનિશ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો