જૂનાગઢના ગિરનાર ટેમ્પલ રોપ-વે ની નબળાઇ છતી થઇ છે. કંપનીનો દાવો હતો કે, ૧૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ કેબિન, રોપ-વે સ્ટ્રકચરને કાંઇ નહીં થાય. તાજેતરમાં તહેવારો દરમ્યાન માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રોપ-વેના સ્ટ્રકચરને તકલીફો થયેલી. પ્રવાસીઓ ચિંતામાં મૂકાયેલાં. આ પ્રવાસીઓની સલામતીની જાળવણી કોની?!
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો