જૂનાગઢના ગિરનાર ટેમ્પલ રોપ-વે ની નબળાઇ છતી થઇ છે. કંપનીનો દાવો હતો કે, ૧૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ કેબિન, રોપ-વે સ્ટ્રકચરને કાંઇ નહીં થાય. તાજેતરમાં તહેવારો દરમ્યાન માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રોપ-વેના સ્ટ્રકચરને તકલીફો થયેલી. પ્રવાસીઓ ચિંતામાં મૂકાયેલાં. આ પ્રવાસીઓની સલામતીની જાળવણી કોની?!
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો