જામનગરના વુલનમિલ વિસ્તારમાં રહેતાં ઉત્તરપ્રદેશ-બિહારના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી છઠ્ઠપૂજાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ૩ દિવસ અન્નજળના ત્યાગ સાથે આ વ્રત ઉજવાય છે. તેમજ ધનધાન્ય પૂજા સાથે સૂર્વદેવને અર્ધ્ય આપવામાં આવે છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, દિગુભા જાડેજા વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો