જામનગરના વુલનમિલ વિસ્તારમાં રહેતાં ઉત્તરપ્રદેશ-બિહારના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી છઠ્ઠપૂજાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ૩ દિવસ અન્નજળના ત્યાગ સાથે આ વ્રત ઉજવાય છે. તેમજ ધનધાન્ય પૂજા સાથે સૂર્વદેવને અર્ધ્ય આપવામાં આવે છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, દિગુભા જાડેજા વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો