અમદાવાદમાં શુક્રવારથી કર્ફયૂ લાદવામાં આવ્યા પછી જામનગરના તંત્રને માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવાનું યાદ આવતાં શુક્રવારે તળાવની પાળ ખાતે માસ્ક અંગેનો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવેલી.
જે નગરજનો માસ્ક પહેરે છે, નિયમોનું પાલન કરે છે તેઓના મત એવો છે કે, દંડના બદલે જાહેરમાં ઉઠ-બેસની સજા કે શહેરના ગંદા વિસ્તારોમાં આવા આસામીઓને સફાઇ કરાવવાની સજા કરવી જોઇએ.
અત્રે નોંધનિય છે કે, તહેવારો દરમિયાન તમામ નિયમોના ધજાગરા થયેલાં, લોકો ટોળામાં ધૂમતાં હતાં અને, તંત્રો પણ ગાયબ જ રહ્યા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો