જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના ગેઇટ પાસે મહાનગરપાલિકાના મુલાકાતીઓના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવે તેઓને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે. જો કે કોર્પોરેશનની મુલાકાત લેનાર તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવતાં નથી એવું પણ જાણવા મળે છે. સિકયોરીટીના જવાનો જેઓનો કોરોના ટેસ્ટ ન થયો હોય તેને પણ મહાનગરપાલિકામાં પ્રવેશ આપતા હોવાનું કેટલાંક કિસ્સાઓમાં જાણવા મળે છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો