જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના ગેઇટ પાસે મહાનગરપાલિકાના મુલાકાતીઓના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવે તેઓને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે. જો કે કોર્પોરેશનની મુલાકાત લેનાર તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવતાં નથી એવું પણ જાણવા મળે છે. સિકયોરીટીના જવાનો જેઓનો કોરોના ટેસ્ટ ન થયો હોય તેને પણ મહાનગરપાલિકામાં પ્રવેશ આપતા હોવાનું કેટલાંક કિસ્સાઓમાં જાણવા મળે છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો