મુખ્ય સામગ્રી પર જાઓ

હેન્ડ વોશિંગ - એવોર્ડ વિતરણ


    જામનગરના ટાઉનહોલ ખાતે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને હેન્ડ વોશિંગનો તથા માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણમાં ઉપસ્થિતિ આપી હતી.

 આ તકે મહાનગરપાલિકાની વિવિધ સ્વચ્છતાલક્ષી એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. સ્વચ્છતા તથા પોષણ અંગેના શપથ લેવામાં આવ્યા. વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓને આ તકે પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે વ્હાલી દિકરી યોજના અંતર્ગત જામનગર શહેરનું નામ રોશન કરનાર નેહા એચ. ચાવડા (રણજીત ટ્રોફી વેસ્ટ ઝોન ખેલાડી) તથા અન્ય ૧૦ લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાના ૬ અને જિલ્લા પંચાયતના ૨ કર્મચારીઓને યસોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

    આ કાર્યક્રમમાં ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન મુળભાઇ બેરા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, ડીડીઓ વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...