જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના હસ્તે નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ બીજી ઓકટોબરે ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યો.મહાનુભાવોએ ગાંધીજીના પૂતળાંને સૂતરની આંટી પહેરાવી હતી. ટાઉનહોલ ખાતેથી વ્યસનમુકિતના બેનરો સાથે સાયકલીંગ કલબને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે ડેપ્યુટી મેયર કરશન કરમૂર, ડેપ્યૂટી કમિશનર વસતાણી, નશાબંધી અને આબકારી અધિક્ષક સહેદવસિંહ વાળા, નશાબંધી મંડળના સભ્ય ખુમાનસિંહ સરવૈયા તથા વ્યસનમુકિત માટે કાર્યરત ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો