મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • કિસાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, જોડીયા દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ: ૧૪ ડિસેમ્બરે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થશે.
  • જામનગરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ધ્રોળ તથા જોડિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો બનાવવા માટે તાજેતરમાં પ્રવાસ કરવામાં આવેલો. ૫૦ ગામોની મુલાકાત લેવામાં આવી. કાર્યક્રમનું આયોજન નરોતમ વધોરાએ કયું<: માર્ગદર્શન જિલ્લા અધિકારી શિખર રસ્તોગીએ આપ્યુ હતું.
  • આજે ભારત બંધણા એલાન દરમિયાન લોકોને તકલીફ ન પડે સૌ ઓફિસે જઇ શકે તે માટે દેશભરમાં ચક્કાજામનો કાર્યક્રમ ૧૧ થી ૩ દરમ્યાન હતી. ગૃહ મંત્રાલયે શાંતિ બનાવી રાખવા રાત્રે એક વાગ્યે એડવાઇઝરી જાહેર કરી: કુલ ૮ રાજ્યોની સરકારોએ બંધને સમર્થન આપ્યું છે.
  • મુંબઇના જેહાન દારૂવાલાએ ફોર્મ્યુલા-૨ રેસ જીતીને ઇતિહાસ રચ્યો: ફોર્મ્યુલા રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા બાળકો (ઉંમર: ૩ વર્ષથી ૧૨ વર્ષ) માટે શરદીનો વિનામૂલ્યે નિદાન કેમ્પ ૧૫ અને ૧૬ ડિસેમ્બરે પી.જી. આયુર્વેદ હોસ્પિટલના રૂમ નંબર ૧૫ ઓપીડી બ્લોક માં સવારે ૯ થી ૧૨:૩૦ કલાક અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ સુપર મોલની સામે રાખવામાં આવેલ છે.
  • ભારત બંધ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે સાંજે ૭ વાગ્યે ખેડૂત આગેવાનો સાથે તત્કાળ બેઠક બોલાવી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...