મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • કિસાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, જોડીયા દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ: ૧૪ ડિસેમ્બરે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થશે.
  • જામનગરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ધ્રોળ તથા જોડિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો બનાવવા માટે તાજેતરમાં પ્રવાસ કરવામાં આવેલો. ૫૦ ગામોની મુલાકાત લેવામાં આવી. કાર્યક્રમનું આયોજન નરોતમ વધોરાએ કયું<: માર્ગદર્શન જિલ્લા અધિકારી શિખર રસ્તોગીએ આપ્યુ હતું.
  • આજે ભારત બંધણા એલાન દરમિયાન લોકોને તકલીફ ન પડે સૌ ઓફિસે જઇ શકે તે માટે દેશભરમાં ચક્કાજામનો કાર્યક્રમ ૧૧ થી ૩ દરમ્યાન હતી. ગૃહ મંત્રાલયે શાંતિ બનાવી રાખવા રાત્રે એક વાગ્યે એડવાઇઝરી જાહેર કરી: કુલ ૮ રાજ્યોની સરકારોએ બંધને સમર્થન આપ્યું છે.
  • મુંબઇના જેહાન દારૂવાલાએ ફોર્મ્યુલા-૨ રેસ જીતીને ઇતિહાસ રચ્યો: ફોર્મ્યુલા રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા બાળકો (ઉંમર: ૩ વર્ષથી ૧૨ વર્ષ) માટે શરદીનો વિનામૂલ્યે નિદાન કેમ્પ ૧૫ અને ૧૬ ડિસેમ્બરે પી.જી. આયુર્વેદ હોસ્પિટલના રૂમ નંબર ૧૫ ઓપીડી બ્લોક માં સવારે ૯ થી ૧૨:૩૦ કલાક અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ સુપર મોલની સામે રાખવામાં આવેલ છે.
  • ભારત બંધ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે સાંજે ૭ વાગ્યે ખેડૂત આગેવાનો સાથે તત્કાળ બેઠક બોલાવી.

ટિપ્પણીઓ