દેશભરની સાથે સાથે જામનગરમાં ૭ મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી. કલેકટર રવિશંકરેે અનુદાન આપી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. અને સૌ કોઇ દેશના વિરલાઓનું ઋણ ચૂકવવા આ ફંડમાં ઉદાર હાથે ફાળો આપે તેવી લાગણી કલેકટર દ્વારા વ્યકત કરવામાં આવી. આ તકે એસપી દ્વારા પણ અનુદાન આપવામાં આવ્યું.
જે લોકો સેના માટે અનુદાન આપવા ઇચ્છતા હોય તેઓ લાલબંગલા ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો ૦૨૮૮-૨૫૫૮૩૧૧ સંપર્ક સાધી શકે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો