ગત્ શુક્ર, શનિ, રવિ માલ રાખવાની જગ્યાના અભાવે યાર્ડ બંધ રહ્યા પછી સોમવારે મગફળી વેચવા શનિવારે તથા રવિવાર રાત્રે કુલ ૮૦૦ વાહનો, યાર્ડ પર પહોંચ્યા હતાં જેમાં ૫૫૦૦૦ મગફળી ગુણીની આવક થઇ છે.
તામિલનાડુના સિંગદાણા, મગફળીના વેપારીઓ, મિલરના પ્રતિનિધિઓ આ વર્ષે જામનગરથી ખરીદી કરી રહ્યા હોય, ખેડૂતોને મગફળીના ઉંચા ભાવો મળી રહ્યા છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાંથી પણ મગફળી વેચવા ખેડૂતો જામનગર આવી રહ્યા છે.
જામનગરના યાર્ડમાં સોમવારે બીજી નવેમ્બરે રૂપિયા ૮૦૦ થી ૧૩૦૦ ના ભાવે માત્ર ૯૪૦૦ ગુણી મગફળીનું વેચાણ થયું છે.
મંગળવારે સવારે ૬૦૦૦ ગુણી મગફળીનું વેચાણ નોંધાયું છે. જેમાં રૂપિયા ૮૦૦ થી ૧૬૩૫ નો ભાવ ખેડૂતોને મળ્યો. મગફળીની હરાજીમાં ૧૨૦ ખેડૂતો હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો