ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર દ્વારા તાજેતરમાં BAMS ની પરીક્ષા લેવામાં આવેલી જેમાં ૧૪૭ છાત્રો અંતિમ પ્રયત્નમાં પણ નાપાસ થયા છે. આ છાત્રોને પરીક્ષાની વધુ એક તક આપવા, કોઇ પણ તપાસણી ફી વિના પેપરોની ફરી ચકાસણી કરી આપવા જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે છાત્રોના વાલીઓ પણ હાજર રહ્યા હતાં.
અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક કુશલ બોસમિયાની આગેવાનીમાં કાર્યકરોએ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો