જામનગરની નંદનવન સોસાયટીમાં ભરતસિંહ પથુભા પિંગળના મકાનમાં જૂગારની કલબ ચાલતી હતી. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના પ્રમાણે, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચર તથા સ્ટાફના હંસરાજભાઇ, ચંદ્રસિંહ, સુરેન્દ્રસિંહ વગેરેએ કુલ પાંચ જૂગારીઓને રોકડા રૂા. ૪૭,૪૮૦ તથા વાહન-મોબાઇલ મળી કુલ રૂા. ૮૯૯૮૦મા મુદામાલ સાથે ઝડપી લીધાં છે. આગળની કાર્યવાહી માટે જુગારીઓને સીટી એ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો