- જામનગરના મેડીકલ સ્ટોર સંચાલકનો આપઘાત કેસ: બિલ્ડરો કનુભાઇ બોસ અને રમણભાઇ મોરઝરીયા એસપી કચેરીએ રજૂઆત કરવા ગયેલાં કે પોતે આ કેસમાં નિર્દોષ છે: પોલીસે ધરપકડ કરી લીધી: નોંધનિય છે કે, સૂસાઇટ નોટમાં આ બંને બિલ્ડરના નામો-મોબાઇલ નંબર છે.
- કેન્દ્રના સ્વાથ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું નિવેદન: શિયાળામાં કોરોના ના કેસો વધી શે છે. સરકારે વેકસીન ના ઇમરજન્સી ઉપયોગ અંગે હજૂ વિચાર કર્યો નથી: દેશમાં કુલ કેસ ૭૦ લાખ ૫૩ હજાર. કોરોના વાઇરસ ઠંડી સિઝનમાં વધુ સક્રિય બને છે.
- પાવાગઢમાં રવિવારે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા: સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા: ૪૦ ટકાથી વધુ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતાં
- જામનગર નજીકના જાંબુડામાં રૂપિયા ૩ કરોડની જમીનના કૌભાંડની ફરિયાદ પછી ગત ૮ મી એ બે આરોપી ઝડપાયા બાદ રવિવારે વધુ બે આરોપી અમૃત નાનજી મારૂ (પટેલ કોલોની) અને અજય દેવાયતભાઇ બરાડીયા (મોખાણા, તાલુકો લાલપુર)ની ધરપકડ
- બંગાળની ખાડીમાં લો-પે્રશર સર્જાયુ છે: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૩/૧૪ તારીખે વરસાદની સંભાવનાઓ છે, ગત્ તા. ૧૦ થી જામનગરમાં ગરમી, બફારો વધ્યા, રાત્રે પણ ઠંડકને બદલે ઉકળાટ છે.
- હિન્દુજા ફાયનાન્સ કંપની (ક્રોસ રોડ, પટેલ કોલોની)ના કર્મચારી જયેશ તુલસીભાઇ જોશીએ રજાક સોપારી, હુશેન દાઉદ ચાવડા, અમિત નોતિયાર વિરૂધ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી
- દ્વારકામાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાવનું આયોજન ૧૭ ઓકટબરથી કરવામાં આવશે. રોજગાર વાંચ્છુઓએ મેળામાં ભાગ લેવા ઓનલાઇન લીંક હતતપસ://ફદ્વરમસ.ગલઇ/ખરનઇબનવજ્ઞસ્ૃ૭ક્ષયઇફઅસ્ પર વિગતો મૂકવાની છે.
- ગુજરાતમાં વિવિધ વિભાગોમાં કામ કરતાં લગભગ ૧૭૫૦૦ જેટલાં કર્મચારીઓ વય મર્યાદાના લીધે નિવૃત થશે: ગત વર્ષ ૨૦૧૯ માં ૧૯ હજાર કરતાં વધુ કર્મચારીઓ નિવૃત થયા હતાં.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો