ભારતબંધના એલાનના ભાગરૂપે ગઇ કાલે મંગળવારે વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ સવારના સમયે લાલપુર બાયપાસ નજીક ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ અગાઉથી જ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ આ પ્રયાસ નાકામ બનાવી પુરૂષો તથા મહિલા કાર્યકરોની અટક કરી લીધી હતી.
આ ઉપરાંત ખોડિયાર કોલોની, નિલકમલ વિસ્તારમાં કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરોએ પીએમના પૂતળાંદહનનો કાર્યક્રમ ગોઠવેલો, તે પણ પોલીસે નિષ્ફળ બનાવી કાર્યકરોની અટક કરી લીધી હતી અને પીએમનું પૂતળું કબજે કરી લીધું હતું ત્યાં પણ પેટ્રોલીંગ કરતી પોલીસ પહોંચી ગઇ હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો