- જામનગરમાં કોરોના સંક્રમણ ઘટયાનું આંકડાઓ દર્શાવે છે: ડીસ્ચાર્જ-મૃત્યુદર વધ્યો છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોત નિપજ્યાં છે: શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે.
- જામનગર યાર્ડ શુક્ર, શનિ, રવિ બંધ છે. રવિવારની રાત્રિથી ફરી મગફળીની આવક શરૂ થશે. જિલ્લામાં પાછળાં ૪ દિવસો દરમિયાન ૧૦૧૦૦ ખેડૂતોને એસએમએસ કરી ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવેલાં. માત્ર ૪૭૫ ખેડૂતો જ આવેલાં. યાર્ડમાં પૂરતાં શ્રમિકો ન હોય મગફળીની આવક બંધ રાખવી પડે છે.
- સિક્કાના કોલસા કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ થઇ છે. આ શખ્સ કચ્છના સામખિયાળીનો અર્જુન મનજીભાઇ દાદલ છે.
- જામનગરમાં ૧૦ મહિનામાં અડધાં શહેરમાં ફોલ્ટના કારણે ૨૮૯૭ વીજફીડર બંધ રહ્યા: ફરિયાદોની સંખ્યા ૬૦૦૯: જૂલાઇ માસમાં વધુ ક્ષતિઓ સર્જાઇ: વીજતંત્રની મેન્ટેનન્સ કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
- વિસ્ફોટક બલ્લેબાજી માટે જાણીતા ક્રિમ ગેલ દ્વારા ૧૦૦૦ સિકસનો વિક્રમ સ્થાપવામાં આવ્યો. આ પ્રકારનો વિશ્વનો તે પ્રથમ બેટસમેન છે. કોરોન પોલાર્ડના નામે ૬૯૦ મેક્કલુમના નામે ૪૮૫ તથા વોટસનના નામે ૪૬૭ સિકસ નોંધાયેલી છે.
- aiimsના ડાયરેકટરની ચેતવણી: કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયો છે. ખાસ કરીને યુવાનો લાપરવાહી ન દાખવે
- ભારત-અમેરિકા-જાપાન તથા ઓસ્ટ્રેલિયા આગામી દિવસોમાં સંયુકત નૌસેના કવાયત કરશે
- સરકારની ઓઇલ કંપની ષ્છિએ ૧૩ ગણો નફો નોંધાવ્યો, બીજાં ત્રિમાસિક સમયગાળામાં રૂપિયા ૬૦૮૨ કરોડનેટ આવક
- દેશમાં બટાટાના ભાવો અંકુશમાં લેવા સરકારે ૩૦૦૦૦ ટન બટાટા ભૂતાનથી મંગાવ્યા છે.
- દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંકુશમાં:૮૫ દિવસ પછી પ્રથમ વખત ૨૪ કલાકમાં સક્રિય કેસની સંખ્યા ૬ લાખ કરતાં ઓછી: કુલ નોંધાયેલાં કેસો પૈકી માત્ર. ૭.૩ ટકા કેસો જ એકટીવ રહ્યા: જો કે પાટનગર દિલ્હીમાં સંક્રમણ વધ્યું છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં નવા ૫૮૯૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩૦ નવેમ્બર સુધી ફરી લોકડાઉનની જાહેરાત કરવી પડી છે.
- સતક ભારત સમૃધ્ધ ભારત, અંતર્ગત જામનગરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ટીડીઓ કચેરીમાં શપથ લેવામાં આવ્યા. બનેર્સ લગાવવામાં આવ્યા. દરેક તાલુકાઓમાં ૨૭-૧૦ થી ૨-૧૧ સુધી આ પ્રકારના કાર્યક્રમો જનજાગૃતિ માટે થશે
- જામનગરના સેવા સદનમાં કલેકટર, કમિશનર, નિવાસી અધિક કલેકટર તથા કર્મચારીઓએ ૩૧ ઓકટોબર (સરદાર જયંતિ) નિતિમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શપથ સમારોહ યોજ્યો હતો.
- પ્રધાનમંત્રીએ શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલના તેમજ સ્વ. મહેશ-નરેશ કનોડિયાના પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી છે.
- પ્રધાનમંત્રીએ કેવડીયા કોલોની ખાતે શુક્રવારે વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું: આજે ૩૧ મી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી કરી: કુલ ૧૭ પ્રોજેકટના લોકાર્પણ થયા જેાં સી-પ્લેન, આરોગ્યવન, જંગલ સફારી વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પંથકને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો અવિરત છે.
- અલ્હાબાદ હાઇકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, માત્ર શાદી, લગ્ન કરવા માટે જ કરવામાં આવતું ધર્મપરિવર્તન કાયદેસર નથી
- રાજસ્થાનની ટીમે આઇપીએલમાં ૫૦માં મેચમાં પંજાબની ટીમના વિજયરથને રોકયો છે: ૭ વિકેટથી પરાજય આપ્યો છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો