આગામી ૨૫ નવેમ્બરથી ૩ દિવસ માટે ગુજરાતના કેવડીયા કોલોની (નર્મદા ડેમ) ખાતે દેશભરના રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સેમિનારમાં સંબોધન આપશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે અત્યારથી રિહર્સલ, ગોઠવણ શરૂ થઇ ચૂકયા છે. આગામી તારીખ ૨૨ સુધી કેવડીયા પ્રવાસન ધામ પ્રવાસઓએ હાઉસફૂલ બુકીંગ કરાવ્યું છે. તેથી રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમ્યાન પ્રવાસીઓને પરત ફરતી વખતે કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા તંત્રએ અત્યારથી ગોઠવવી પડશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો