જામનગરના પુષ્પાંજલિ ટ્રસ્ટ દ્વારા હાપાનાં જવાહરનગર વિસ્તારને દતક લેવામાં આવ્યો છે. કાર્તિક સ્વામી મંદિર નજીકના આ વિસ્તારમાં ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિતના માર્ગદર્શન પ્રમાણે સહયોગીઓએ દાતાઓની મદદથી ગરીબ બાળકો માટે રંગોળી સ્પર્ધાનું તથા દીપદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તમામ બાળકોને મિઠાઇનું વિતરણ પણ કરવામાં આવેલું. તમામ ગરીબ બાળકોના ચહેરાં પર ખુશી-ઉમંગ જોવા મળ્યા હતાં. ગરીબ પરિવારોના બાળકો પણ આ કાર્યક્રમથી દિવાળીની ખુશી ઉજવી શકયા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો