જામનગર સહિત રાજ્યભરમાં આઇટીઆઇનાં ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓ જણાવે છે કે, તેઓનાં પગારધોરણ અને સળંગ નોકરી ગણવાના મુદ્દા સહિતના પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે, આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે તમામ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળનો આશરો લેવામાં આવ્યો છે. ૨૩મી ઓગસ્ટે તમામ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આગામી ૧૦ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સમગ્ર રાજ્યના આઈટીઆઈ કર્મચારીઓ ધરણાં કરશે અને પછી પણ સરકાર ઢીલી નહીં પડે તો ૨૯ સપ્ટેમ્બરથી કર્મચારીઓ રજા પર ઉતરી જશે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો