મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં સેંકડો રહેવાસીઓને જગ્યા ખાલી કરવા રેલવેની નોટિસ: કોર્પોરેશનમાં રજૂઆત

 


    જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકનાં વિસ્તારમાં સિદ્ધાર્થનગર અને હનુમાન ટેકરી સહિતનાં વિસ્તારોમાં રેલ્વે લાઈનની બંને તરફનાં વિસ્તારોમાં સેંકડો લોકો વર્ષોથી વસવાટ કરે છે. તાજેતરમાં રેલવે સત્તાવાળાઓ દ્વારા આ તમામ રહેવાસીઓને આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેનાં અનુસંધાને આ વિસ્તારમાં કાર્યરત અખિલ ભારતીય મજૂર અધિકાર મંચના આગેવાનોએ આ મુદ્દો ઉપાડ્યો છે અને એવી માંગણી કરી છે કે, આ રહેવાસીઓના પુનર્વસન માટે તેઓને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા કરી આપવામાં આવે. આ મુદ્દે સેંકડો રહેવાસીઓએ કાલે સોમવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દે સર્વે કરવામાં આવશે અને જરૂર પડ્યે રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવશે અને રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસો અને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા માટે શું કરી શકાય ? તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ રસ્તો વિચારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં હોવાથી આગામી ૨૨/૯ નાં રોજ પાટનગર ગાંધીનગર ખાતે આ મુદ્દે ધરણાંના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...