જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકનાં વિસ્તારમાં સિદ્ધાર્થનગર અને હનુમાન ટેકરી સહિતનાં વિસ્તારોમાં રેલ્વે લાઈનની બંને તરફનાં વિસ્તારોમાં સેંકડો લોકો વર્ષોથી વસવાટ કરે છે. તાજેતરમાં રેલવે સત્તાવાળાઓ દ્વારા આ તમામ રહેવાસીઓને આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેનાં અનુસંધાને આ વિસ્તારમાં કાર્યરત અખિલ ભારતીય મજૂર અધિકાર મંચના આગેવાનોએ આ મુદ્દો ઉપાડ્યો છે અને એવી માંગણી કરી છે કે, આ રહેવાસીઓના પુનર્વસન માટે તેઓને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા કરી આપવામાં આવે. આ મુદ્દે સેંકડો રહેવાસીઓએ કાલે સોમવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દે સર્વે કરવામાં આવશે અને જરૂર પડ્યે રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવશે અને રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસો અને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા માટે શું કરી શકાય ? તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ રસ્તો વિચારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં હોવાથી આગામી ૨૨/૯ નાં રોજ પાટનગર ગાંધીનગર ખાતે આ મુદ્દે ધરણાંના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો