મુખ્ય સામગ્રી પર જાઓ

વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડ અને વેલેડિક્ટરી ફંકશન

 


    શોર્ટ સર્વિસ કમિશન  કોર્સના સાત અધિકારીઓ 19 અઠવાડિયાની વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા બાદ 20 ઓગસ્ટના રોજ INS વાલસુરાના પોર્ટલ પરથી પાસ આઉટ થયા. કોમોડોર જે.એસ. ધનોઆ, કમાન્ડિંગ ઓફિસરે પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી અને શૈક્ષણિક, રમતગમત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેરીટોરીયસ ઓફિસરોને પુસ્તક , ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સબ લેફ્ટનન્ટ અર્પિત શર્માને મેરિટના એકંદર ક્રમમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે સબ લેફ્ટનન્ટ ભવ્ય રમણ બીજા સ્થાને રહ્યા હતા અને તેમને 'શ્રેષ્ઠ ઓલરાઉન્ડ ઓફિસર' તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. પરેડને સંબોધતી વખતે, કમાન્ડિંગ ઓફિસરે પાસ આઉટ થયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી હતી. કમાન્ડિંગ ઓફિસરે અધિકારીઓને સંબોધન કર્યું હતું કે ,તેઓ નેતા તરીકેની તેમની ફરજો નિભાવતી વખતે  નિરંતરિત નૈતિકતાને આત્મસાત કરે.  તેમણે વિકસતી ટેક્નૉલૉજી સાથે નજીકમાં રહેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને ભારતીય નૌકાદળના ડિજિટલ પરિવર્તનમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે તમામ અધિકારીઓને મજબૂત વ્યાવસાયિક કૌશલ્ય અને નેતૃત્વ વિશેષતાઓથી અસરકારક રીતે સજ્જ કરવા માટે તાલીમ ફેકલ્ટીની પ્રશંસા કરી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...