મુખ્ય સામગ્રી પર જાઓ

વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડ અને વેલેડિક્ટરી ફંકશન

 


    શોર્ટ સર્વિસ કમિશન  કોર્સના સાત અધિકારીઓ 19 અઠવાડિયાની વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા બાદ 20 ઓગસ્ટના રોજ INS વાલસુરાના પોર્ટલ પરથી પાસ આઉટ થયા. કોમોડોર જે.એસ. ધનોઆ, કમાન્ડિંગ ઓફિસરે પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી અને શૈક્ષણિક, રમતગમત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેરીટોરીયસ ઓફિસરોને પુસ્તક , ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સબ લેફ્ટનન્ટ અર્પિત શર્માને મેરિટના એકંદર ક્રમમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે સબ લેફ્ટનન્ટ ભવ્ય રમણ બીજા સ્થાને રહ્યા હતા અને તેમને 'શ્રેષ્ઠ ઓલરાઉન્ડ ઓફિસર' તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. પરેડને સંબોધતી વખતે, કમાન્ડિંગ ઓફિસરે પાસ આઉટ થયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી હતી. કમાન્ડિંગ ઓફિસરે અધિકારીઓને સંબોધન કર્યું હતું કે ,તેઓ નેતા તરીકેની તેમની ફરજો નિભાવતી વખતે  નિરંતરિત નૈતિકતાને આત્મસાત કરે.  તેમણે વિકસતી ટેક્નૉલૉજી સાથે નજીકમાં રહેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને ભારતીય નૌકાદળના ડિજિટલ પરિવર્તનમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે તમામ અધિકારીઓને મજબૂત વ્યાવસાયિક કૌશલ્ય અને નેતૃત્વ વિશેષતાઓથી અસરકારક રીતે સજ્જ કરવા માટે તાલીમ ફેકલ્ટીની પ્રશંસા કરી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...