ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિમંત્રી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂ 8 કરોડની રકમના વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.7.09 કરોડની રકમના 272 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ.66 લાખની રકમના 57 વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોળની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ "વિશ્વાસ થી વિકાસ" અંગેની ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ડાંગરિયા, હસમુખભાઈ ફાચરા, જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, કાલાવડ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન હરીદેવ ગઢવી અને શ્વેતા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો