જામનગર નજીકના વીજરખી પંથકમાં સરકારી ફાયરિંગ રેન્જ ખાતે પોલીસકર્મીઓ ફાયરિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન બંદૂકની એક ગોળી, આ રેન્જ થી ૩.૫ કિમી દૂર આવેલી, મહેશ શિયારની વાડીમાં કામ કરી રહેલાં મધ્યપ્રદેશના એક ખેતમજૂરને પગમાં ઘૂસી ગઈ છે. ૩૫ વર્ષનાં આ યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ફાયરિંગ રેન્જ અંગે ગત્ ડિસેમ્બર મહિનામાં પણ ગ્રામ પંચાયત દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, ફાયરિંગ રેન્જથી દૂર આવેલાં વાડી ખેતરોમાં બંદૂકની ગોળી પહોંચી જાય છે ! આવી એકાદ ગોળી કોઈ ગ્રામજનોના માથામાં પણ ઘૂસી શકે છે ! કોઈનું મોત થશે તો જવાબદારી કોની ? જો કે રજૂઆતો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેથી ખેડૂતો સહિત ગ્રામજનો માં નારાજગી અને રોષ જોવા મળે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો