શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે મોટી સંખ્યામાં પદયાત્રી જામનગર થી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે અનેક સેવાકીય સંસ્થા દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનાં આયોજન કરવામાં આવતાં હોય છે. ચંગાના પાટિયા પાસે બાદશાહ સર્કલ પાસે પણ વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને શિવતાંડવ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં શિવભક્તો માટે ખાસ કરીને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં જુનિયર અમિતાભ બચ્ચનનુ શિવતાંડવ નૃત્ય સહિતનું ધાર્મિક મનોરંજન લોકોએ માણ્યું હતું.
આ કેમ્પનાં આયોજનમાં ભાવેશભાઈ ગાગીયા, બાદશાહભાઈ સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં સેંકડોની સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતાં અને પ્રસાદ તેમજ મનોરંજનનો લાભ મેળવ્યો હતો

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો