મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગર અને જામજોધપુરમાં વરસાદ

 

    જામનગર શહેર-પંથકમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં પાછલાં ૨૪ કલાક દરમિયાન ૯ મિમી અને જામજોધપુર તાલુકામાં ૪૫ મિમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલરૂમ જણાવે છે. જામનગર જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં વધુ નવાં વરસાદી નીરની આવક થઇ છે. કેટલાંક જળાશયોમાં ઉપરવાસમાં વરસાદ નોંધાયો છે.

    ડાઈ મીણસાર ૩૦ મિમી, રણજિતસાગર ૦૫ મિમી, રંગમતી ૧૫ મિમી, ફૂલઝર ૩૫ મિમી, વનાણા ૨૦ મિમી અને ઉમિયાસાગર ડેમમાં ૧૦ મિમી વરસાદ નોંધાયો છે.

    જામનગરને પાણી પૂરું પાડતા રણજિતસાગર ડેમનાં ઉપરવાસમાં આજે સવારે ૬ થી ૮ દરમિયાન વધુ ૫ મિમી વરસાદ નોંધાયો હતો, જેને કારણે ડેમમાં પાણીની સપાટી ૨૧” ૬” થી વધીને ૨૧” ૮” થવા પામી છે. જિલ્લાનાં અન્ય કેટલાંક જળાશયોમાં પણ વધુ નવાં પાણીની આવક નોંધાઇ છે.

ટિપ્પણીઓ