મુખ્ય સામગ્રી પર જાઓ

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા નારીશક્તિ કેમ્પેઈન....

    ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ચાર દિવસનાં નારીશક્તિ કેમ્પેઈન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ થી ૬ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને ઓખાના માછીમાર પરિવારોને જોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સામુદાયિક આંતરસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આરોગ્ય સંબંધી સંબોધનો યોજવામાં આવ્યા હતાં જેનો ઉદ્દેશ્ય સાગરકાંઠાની સ્વચ્છતા, માછીમાર પરિવારમાં મહિલાઓનું સ્વચ્છ જિવન અને મહિલાઓની તંદુરસ્તી વધારવાનો હતો. ભારતીય કોસ્ટગાર્ડના મહિલા અધિકારીઓ ઉપરાંત કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓની પત્નીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દરિયાકિનારા નાં કુલ ૧,૨૦૦ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને અંદાજે ૧,૫૦૦ જેટલી માછીમાર મહિલાઓને જોડવામાં આવી હતી. લાયન્સ કલબ ગ્રેટર અમદાવાદ અને ગાંધીનગરની કંપની મૂડ ઓફ વુડ દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...