મુખ્ય સામગ્રી પર જાઓ

આયુર્વેદ યુનિવર્સીટીના પ્રથમ 5 તેજસ્વી વિધાર્થીઓ

 

    ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલ પરિણામના અનુસંધાને અત્રે આપેલ વિગતો મુજબના વિધાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાંક મેળવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ.

    ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર,  બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર અને  પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા છે.

    ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય થર્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે કાનાણી જાનકી પ્રવીણભાઈ, બીજા ક્રમાંકે પાટીલ ભાગ્યશ્રી ચતુરભાઈ, ત્રીજા ક્રમાંકે પટેલ નીમાબેન સુરેશભાઈ, ચોથા ક્રમાંકે કાલરીયા રચનાબેન દિનેશભાઇ, પાંચમા ક્રમાંકે સંયુક્ત રીતે શાહ અંજલિ દિનેશભાઇ  અને પટેલ ખુશી મિતેષકુમાર- આ પાંચ વિધાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...