ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલ પરિણામના અનુસંધાને અત્રે આપેલ વિગતો મુજબના વિધાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાંક મેળવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ.
ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર, બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર અને પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા છે.
ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય થર્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે કાનાણી જાનકી પ્રવીણભાઈ, બીજા ક્રમાંકે પાટીલ ભાગ્યશ્રી ચતુરભાઈ, ત્રીજા ક્રમાંકે પટેલ નીમાબેન સુરેશભાઈ, ચોથા ક્રમાંકે કાલરીયા રચનાબેન દિનેશભાઇ, પાંચમા ક્રમાંકે સંયુક્ત રીતે શાહ અંજલિ દિનેશભાઇ અને પટેલ ખુશી મિતેષકુમાર- આ પાંચ વિધાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો