મુખ્ય સામગ્રી પર જાઓ

આયુર્વેદ યુનિવર્સીટીના પ્રથમ 5 તેજસ્વી વિધાર્થીઓ

 

    ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલ પરિણામના અનુસંધાને અત્રે આપેલ વિગતો મુજબના વિધાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાંક મેળવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ.

    ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર,  બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર અને  પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા છે.

    ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય થર્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે કાનાણી જાનકી પ્રવીણભાઈ, બીજા ક્રમાંકે પાટીલ ભાગ્યશ્રી ચતુરભાઈ, ત્રીજા ક્રમાંકે પટેલ નીમાબેન સુરેશભાઈ, ચોથા ક્રમાંકે કાલરીયા રચનાબેન દિનેશભાઇ, પાંચમા ક્રમાંકે સંયુક્ત રીતે શાહ અંજલિ દિનેશભાઇ  અને પટેલ ખુશી મિતેષકુમાર- આ પાંચ વિધાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...