તાજેતરમાં સુપ્રીમકોર્ટ માં ઓબીસી સમાજ ની રાજકીય અનામત બાબતે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે ગૂજરાત સરકાર ને આપેલ આદેશ અનુસાર ગૂજરાત સરકારે વરિષ્ઠ ભૂતપૂર્વ હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ કે.એસ ઝવેરીના વડપણમાં સમર્પિત આયોગ ની રચના કરી છે.
જે અનુસંધાને આયોગ દ્વારા અખબારો માં જાહેખબર આપી ઓબીસી સમાજ ના આગેવાનો,રાજકીય આગેવાનો પાસે થી લેખીતમાં વાંધાસૂચનો જે તે જિલ્લા ના અધિક કલેકટરો ને લેખીત માં આપવા જણાવવામા આવ્યું હતું.જે સૂચન બાદ ગુરુવારે રાજકોટ કલેકટર કચેરી ખાતે રૂબરૂ સૂચનો સાંભળવા માટે સમર્પિત આયોગ ના ચેરમેન કે એસ ઝવેરી તેમજ આયોગ ના સભ્યો સાથે ઓબીસી એકતા પરિષદના સ્થાપક વેરશીભાઈ ગઢવી,જિલ્લા કોંગ્રસના પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા,ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ હારૂન પલેજાએ ઓબીસી સમાજ વતી સ્થાનિક સ્વરાજય જેવી કે મહાનગપાલિકાઓમાં, નગરાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક હોદાઓ ઉપર તેમજ ગ્રામપંચાયત માં ઉપસરપંચ ના હોદા માટે ઓબીસી સમાજ ને અનામત આપવા માટે તેમજ ઓબીસી સમાજ ને વસ્તી આધારિત પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો