મુખ્ય સામગ્રી પર જાઓ

ઓબીસી અનામત અંગે આયોગ સમક્ષ રજૂઆત

 


    તાજેતરમાં  સુપ્રીમકોર્ટ  માં ઓબીસી સમાજ ની રાજકીય અનામત બાબતે થયેલી અરજીમાં  સુપ્રીમ કોર્ટે ગૂજરાત સરકાર ને આપેલ આદેશ અનુસાર ગૂજરાત સરકારે વરિષ્ઠ ભૂતપૂર્વ હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ કે.એસ ઝવેરીના  વડપણમાં સમર્પિત  આયોગ ની રચના કરી છે.

    જે અનુસંધાને આયોગ દ્વારા અખબારો માં જાહેખબર આપી  ઓબીસી સમાજ ના આગેવાનો,રાજકીય આગેવાનો પાસે થી લેખીતમાં વાંધાસૂચનો જે તે જિલ્લા ના અધિક કલેકટરો ને લેખીત માં આપવા જણાવવામા આવ્યું હતું.જે સૂચન બાદ ગુરુવારે રાજકોટ કલેકટર કચેરી ખાતે રૂબરૂ સૂચનો  સાંભળવા માટે સમર્પિત આયોગ ના ચેરમેન કે એસ ઝવેરી  તેમજ આયોગ ના સભ્યો સાથે ઓબીસી એકતા પરિષદના સ્થાપક  વેરશીભાઈ ગઢવી,જિલ્લા કોંગ્રસના પ્રમુખ  જીવણભાઈ કુંભરવડિયા,ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ  હારૂન પલેજાએ ઓબીસી સમાજ વતી  સ્થાનિક સ્વરાજય જેવી કે મહાનગપાલિકાઓમાં, નગરાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક હોદાઓ ઉપર તેમજ ગ્રામપંચાયત માં ઉપસરપંચ ના હોદા માટે ઓબીસી સમાજ ને અનામત આપવા માટે તેમજ ઓબીસી સમાજ ને વસ્તી આધારિત પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...