જામનગર કોર્પોરેશન દ્વારા વધુ એક વખત ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ૧૦૧ ઢોર પકડવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન ૧,૨૨૯ ઢોર પકડવામાં આવ્યા છે જે પૈકી ૭૪૫ પશુઓને અમદાવાદ ખાતે પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી વધુ આગળ વધારવામાં આવશે, ઢોર માલિકો વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશનમાં ત્રણ અધિકારીઓને સતા આપવામાં આવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો