જામનગર SOG એ કાલાવડ તાલુકાના મોટા વડાળામાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ સુનિલ પટેલ જાહેર થયું છે, જે મેડિકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવાં છતાં દવાખાનું ચલાવતો હતો. સુનિલ ગોબર કથીરીયા નામનો આ શખ્સ રાજકોટની શિવ આરાધના સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાહેર થયું છે. તેનાં કબજામાંથી દવાખાનાં સંબંધી મુદામાલ મળી આવ્યો છે. પોલીસે તેનાં વિરૂધ્ધ કેસ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. SOG નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો