જામનગરમાં દરેડ નજીક આવેલા ઉદ્યોગનગર-૨ અને ઉદ્યોગનગર-૩ ખાતે વીજપૂરવઠો વારંવાર અનિયમિત રહેતો હોય ૧૫૦ થી વધુ કારખાનેદારો પરેશાન છે, ઉત્પાદન ઠપ્પ થાય છે, કારખાનેદારોએ કારખાનું બંધ રહે ત્યારે પણ કામદારોને વેતન ચૂકવવું પડે છે. કારખાનેદારોને બેવડો માર પડી રહ્યો છે. મંગળવારે સેંકડો કારખાનેદારોએ વીજતંત્રની આ નીતિરીતિનાં વિરોધમાં ધરણાં અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો