જામનગરમાં આવેલી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજને મળ્યા હતા. આ પ્રસંગે આગામી તા.23 સપ્ટેમ્બર, 2022થી શરુ થનાર ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે પણ ચર્ચાઓ થઈ હતી. અને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ખીજડા મંદિરના પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, કિંજલ કારસરીયા, ગિરિરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો