જામનગરમાં આવેલી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજને મળ્યા હતા. આ પ્રસંગે આગામી તા.23 સપ્ટેમ્બર, 2022થી શરુ થનાર ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે પણ ચર્ચાઓ થઈ હતી. અને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ખીજડા મંદિરના પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, કિંજલ કારસરીયા, ગિરિરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો