જામનગર સહિત રાજ્યભરમાં વિવિધ કેડરમાં અને જુદાં જુદાં સરકારી વિભાગોમાં કર્મચારીઓએ આંદોલનનો પ્રારંભ કર્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના કુલ સાત લાખ કર્મચારીઓ પોતાની જૂની માંગણીઓના અનુસંધાને આંદોલનનો પ્રારંભ કરશે. જૂની પેન્શન યોજના અને સાતમા પગારપંચનો લાભ વગેરે માંગણીઓ સાથે જામનગર માં આગામી ત્રીજીએ પ્રદર્શન મેદાનથી શરૂ કરી કલેકટર કચેરી સુધી મહારેલી યોજવામાં આવશે. બાદમાં અન્ય વિરોધ કાર્યક્રમો પણ યોજાશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો