શનિવારે જામનગરમાં વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તળાવ ની પાળે સવારનાં સમયે જામનગર ભાજપા દ્વારા વડાપ્રધાન નાં જીવન કવન, કામો સંબંધે એક પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી વસુબહેન ત્રિવેદી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો