જામનગરમાં શનિવારે રાજપૂત સમાજના આશાપુરા પદયાત્રી સંઘનાં ભાવિકો માતાનાં મઢ જવા રવાના થયા. આ પદયાત્રીઓને સુભાષ માર્કેટ નજીક આવેલ નાના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદયાત્રીઓને ફુલહાર કર્યા હતાં. આણદાબાવા આશ્રમનાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ આ પદયાત્રીઓને ભાવભરી વિદાય આપી હતી. સંઘમાં અંદાજે પાંચસોથી છસ્સો જેટલાં પદયાત્રીઓ જોડાયા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો