જામનગરમાં શનિવારે રાજપૂત સમાજના આશાપુરા પદયાત્રી સંઘનાં ભાવિકો માતાનાં મઢ જવા રવાના થયા. આ પદયાત્રીઓને સુભાષ માર્કેટ નજીક આવેલ નાના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદયાત્રીઓને ફુલહાર કર્યા હતાં. આણદાબાવા આશ્રમનાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ આ પદયાત્રીઓને ભાવભરી વિદાય આપી હતી. સંઘમાં અંદાજે પાંચસોથી છસ્સો જેટલાં પદયાત્રીઓ જોડાયા હતાં.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો