સાગર ભારતી નામની સંસ્થાનાં કાર્યકરો અને અન્ય યુવાનોએ શનિવારે વડાપ્રધાન નાં જન્મ દિવસની ઉજવણી રૂપે જામનગરમાં નવા બંદર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. દેશભરમાં આ પ્રકારના કુલ ૭૫ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ તકે સાગર ભારતી સંસ્થાના ૫૦૦ લોકો સાથે મળીને દરીયા કાંઠાની સફાઇ કરી હતી. તેઓ મિડીયાને જણાવ્યું હતું કે, દરિયા કાંઠે ફરવા આવતાં લોકો જો કચરાનો યોગ્ય નિકાલ કરે તો આવા સફાઇ અભિયાનની જરૂરીયાત ના પડે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો