સાગર ભારતી નામની સંસ્થાનાં કાર્યકરો અને અન્ય યુવાનોએ શનિવારે વડાપ્રધાન નાં જન્મ દિવસની ઉજવણી રૂપે જામનગરમાં નવા બંદર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. દેશભરમાં આ પ્રકારના કુલ ૭૫ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ તકે સાગર ભારતી સંસ્થાના ૫૦૦ લોકો સાથે મળીને દરીયા કાંઠાની સફાઇ કરી હતી. તેઓ મિડીયાને જણાવ્યું હતું કે, દરિયા કાંઠે ફરવા આવતાં લોકો જો કચરાનો યોગ્ય નિકાલ કરે તો આવા સફાઇ અભિયાનની જરૂરીયાત ના પડે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો