શનિવારે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મ દિવસ હતો તે નિમિત્તે સાંસદ પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ શનિ-રવિવાર બે દિવસ માટે યોજવામાં આવ્યો. આ તકે ભાજપાનાં સર્વે અગ્રણીઓ અને કાર્યકરો તથા શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિદાન કેમ્પમાં દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી છે. રક્તદાન શિબિરમાં ભાજપાનાં હોદેદારો, કાર્યકરો અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો