શનિવારે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મ દિવસ હતો તે નિમિત્તે સાંસદ પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ શનિ-રવિવાર બે દિવસ માટે યોજવામાં આવ્યો. આ તકે ભાજપાનાં સર્વે અગ્રણીઓ અને કાર્યકરો તથા શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિદાન કેમ્પમાં દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી છે. રક્તદાન શિબિરમાં ભાજપાનાં હોદેદારો, કાર્યકરો અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો