મુખ્ય સામગ્રી પર જાઓ

નગરજનોની કોઈને ચિંતા નથી !: નગરમાં રખડતાં પશુઓ અને શ્વાનનો ભયાનક ત્રાસ

    જામનગરમાં રખડતાં પશુઓ અને શેરીઓમાં રખડતાં શ્વાનની સમસ્યા વિકરાળ બની હોવાં છતાં સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે ! નગરજનોની કોઈને કશી ચિંતા નથી!

    શનિવારે શહેરનાં બેડી વિસ્તારમાં કૂતરાંઓ કરડવાના ચારેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત પંજાબ બેન્ક નજીકનાં ચૌહાણ ફળી વિસ્તારમાં ચાર- પાંચ જેટલાં કૂતરાંઓએ ૫૬ વર્ષનાં જનકબેન મુકેશભાઈ સોઢા નામનાં મહિલા પર હૂમલો કર્યો હતો. તેઓને મોંઢા, હાથ તથા શરીરનાં અન્ય અંગોમા ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
    આથી પણ ગંભીર મુદ્દો એ છે કે, કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ તથા નગરસેવકો નગરજનોની આ પ્રકારની સમસ્યાઓ અંગે જરા પણ ગંભીર નથી ! નગરજનો નું કોઈ નથી ! છેક ચૂંટણી સમયે નગરજનોની જરૂર પડશે. ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહેશે કે પછી નગરજનો ખુદ ચૂંટણી સમયે આ બધું યાદ રાખશે ?! આ પ્રશ્નનો જવાબ સમય આપશે.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...